“શિક્ષકો માટે સફળતા સૂત્ર”

“શિક્ષકો માટે સફળતા સૂત્ર”

S=3D+3C+3Q

S એટલે success in teaching life. શિક્ષણ કાર્યમાં સફળતા.

તેમાં 3D ની જરૂર છે.તે આ પ્રમાણે છે.

Dignity , Dedication And Devotion.

Dignity

        એટલે પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્દભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી. હું શિક્ષક છું અને વિદ્યાર્થીઓમાં રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે મને સોંપી છે. આ કર્તવ્ય બોધ જ શિક્ષકને આત્મગૌરવ બક્ષે છે. રાષ્ટ્રના ઉજ્વળ ભાવિનો આધાર શિક્ષક પર રહેલો છે. કેમકે તેના કર્તવ્ય કાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનને તે ધારે તેવો વળાંક આપી શકે છે. આથી શિક્ષક કોઈ ધંધાદારી વ્યક્તિ નથી, પણ તે તો રાષ્ટ્રનો નિર્માતા છે.

Dedication એટલે કે સમર્પણ.

        પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ જો આ સમર્પણ ભાવના હશે તો જ કર્તવ્ય નિષ્ઠા આવશે અને તો જ શિક્ષકને પોતાના મહાન કાર્યોની પ્રતીતિ થશે. ચાણક્ય એક સામાન્ય શિક્ષક જ હતા એમણે એક સૂત્ર આપ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર વિકાસ ઉસકી ગોદ મે પલતે હૈ. શિક્ષક ધારે તે કરી શકે છે. માત્ર જરૂર છે નિષ્ઠાની, સમર્પિત ભાવનાની,વિદ્યાર્થીઓ પ્રત્યે ના પ્રેમ ભાવનાની.

Devotion એટલે ભક્તિ.

        ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યેનો લગાવ. પોતાના વિદ્યાર્થી ઓ પ્રત્યેનો પ્રેમ જેમ પ્રભુની ભક્તિ કરવામાં સમય આવી જતા પ્રભુ પ્રત્યે જાગૃત થાય છે એમ ભણાવતા ભણાવતા શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે એકરૂપ બની જાય તો શિક્ષકમાં રહેલું જ્ઞાન વિદ્યાર્થીઓના ચિત્તમાં આપોઆપ સંક્રમિત થાય છે શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ આનંદ આવે છે શિક્ષકો પોતાની સામે બેઠેલા વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થીઓ તરીકે જોવાના નથી. શિક્ષકોએ પણ પોતાની અંદર રહેલી ઉત્તમ શક્તિને વર્ગમાં પ્રગટ કરવી જોઈએ. આ રીતે જ શિક્ષણ કાર્ય કરે તો પ્રત્યેક શાળાએ મંદિર બની જાય પ્રત્યેક શિક્ષકો પૂજારી બની જાય અને પ્રત્યેક વિદ્યાર્થીઓ દેવી-દેવતાઓ બની જાય.

                                                                                                                                                                                                  -ચેતનાબેન પટેલ