” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “

” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “

સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્.

અર્થાત બધા જ સુખી, થાઓ બધા જ રોગમુક્ત રહે બધાનું જીવન મંગળમય બને અને કોઈ દુઃખનું ભાગીદાર ન થાય.
આ સંસ્કાર અને જ્ઞાન આપનાર શાસ્ત્ર જે આપણીસંસ્કૃતિની ધરોહર છે તેની સામે શું આજનું સોશિયલ મીડિયા ઉપકારક હોય શકે ? સમાજ માટે તેનો વધતો વ્યાપ વધતો પ્રયોગ શું ફાયદાકારક હોય ?

જો આ જવાબ પૂછવામાં આવે ને તો મારું અંગત અને સાંસ્કૃતિક જ્ઞાન આધારિત મંતવ્ય દ્રઢપણે છે. ના, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રયોગ ઉપકારક નહિ પણ અપકારક બનશે અને ભવિષ્યની પ્રજાને નિરાશાની ગર્તામાં ધકેલી માનસિક રોગોના શિકાર બનાવી માનસિક વિકલાંગ બનાવશે.આજના સમયમાં સોશિયલ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સમાંતરમાં સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોત તો એક સારું પગથિયું બની રહેત પરંતુ હાલમાં ચાલતા સોશિયલ મીડિયાનાં ઉપયોગથી જોતા એ સમાજ માટે પગથિયાં રૂપ સીડી નહિ પરંતુ ખીણ સાબિત થશે એમ લાગે છે.

દવે આશુતોષ અક્ષયભાઈ
ધોરણ:- ૧૧ કોમર્સ-એ