બાળકોની મનોદશાનું પૃથક્કરણ

બાળકોની મનોદશાનું પૃથક્કરણ

બાળકોની માનસિક જરૂરિયાત શિક્ષકોએ તેમજ વડીલોએ નાનપણમાં સંતોષવી જોઈએ. જો તે સંતોષી શકાય નહિ તો તેનામાં વિકૃતિ અથવા માનસિક રોગો લાગુ પડી શકે. વડીલો એ બાળકની માનસિક જરૂરિયાતની અગત્યતા સમજવી જોઈએ.

બાળકની મુખ્ય જરૂરિયાત પ્રેમ, મૈત્રી, સાહસ, પ્રોત્સાહન, સલામતી છે. બાળકને પ્રેમથી કોઈપણ કાર્ય સમજાવાય તો તે ઉત્સાહથી કરે છે. અતિશય પ્રેમ આપવો પણ નકામો છે. કેટલીક વખત તે સમાજ વિરોધી કાર્ય જેવા કે ચોરી કરવી, જૂઠું બોલવું એવી ભૂલો કરે છે. બાળકને જ્યારે નવું નવું જાણવાનું અને જોવાનું કુતૂહલ થાય ત્યારે તે વડીલોનો અને શિક્ષકોનો સહારો લે છે. જો તેમના તરફથી મૈત્રીરૂપ સાઠ સહકાર મળી જાય તો તેનામાં રહેલું એકલતાપણું દૂર થાય છે. જેથી બાળકમાં શરમાળપણું, સ્વાર્થવૃત્તિ દૂર થાય, વિચાર શક્તિ વધે, મૈત્રીની ભાવના ખીલે અને ચારિત્ર્ય ઘડતર થાય.

આમ બાળકને પ્રેમ અને મૈત્રી તેના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

– સોનલબેન પટેલ.