Blog
Students
November 25, 2021
” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “
સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્.
અર્થાત બધા જ સુખી, થાઓ બધા જ રોગમુક્ત રહે બધાનું જીવન મંગળમય બને અને કોઈ દુઃખનું ભાગીદાર ન થાય.
આ સંસ્કાર અને જ્ઞાન આપનાર શાસ્ત્ર જે આપણીસંસ્કૃતિની ધરોહર છે તેની સામે શું આજનું સોશિયલ મીડિયા ઉપકારક હોય શકે ? સમાજ માટે તેનો વધતો વ્યાપ વધતો પ્રયોગ શું ફાયદાકારક હોય ?
જો આ જવાબ પૂછવામાં આવે ને તો મારું અંગત અને સાંસ્કૃતિક જ્ઞાન આધારિત મંતવ્ય દ્રઢપણે છે. ના, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રયોગ ઉપકારક નહિ પણ અપકારક બનશે અને ભવિષ્યની પ્રજાને નિરાશાની ગર્તામાં ધકેલી માનસિક રોગોના શિકાર બનાવી માનસિક વિકલાંગ બનાવશે.આજના સમયમાં સોશિયલ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સમાંતરમાં સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોત તો એક સારું પગથિયું બની રહેત પરંતુ હાલમાં ચાલતા સોશિયલ મીડિયાનાં ઉપયોગથી જોતા એ સમાજ માટે પગથિયાં રૂપ સીડી નહિ પરંતુ ખીણ સાબિત થશે એમ લાગે છે.
દવે આશુતોષ અક્ષયભાઈ
ધોરણ:- ૧૧ કોમર્સ-એ
Teachers
February 12, 2022
“શિક્ષકો માટે સફળતા સૂત્ર”
S=3D+3C+3Q
S એટલે success in teaching life. શિક્ષણ કાર્યમાં સફળતા.
તેમાં 3D ની જરૂર છે.તે આ પ્રમાણે છે.
Dignity , Dedication And Devotion.
Dignity
એટલે પોતાના મહાન કાર્ય પ્રત્યેની સભાનતાથી ઉદ્દભવેલ આત્મસન્માન અને ગૌરવની લાગણી. હું શિક્ષક છું અને વિદ્યાર્થીઓમાં રહેલી દિવ્યતાને જાગૃત કરવાની મહાન જવાબદારી ઈશ્વરે મને સોંપી છે. આ કર્તવ્ય બોધ જ શિક્ષકને આત્મગૌરવ બક્ષે છે. રાષ્ટ્રના ઉજ્વળ ભાવિનો આધાર શિક્ષક પર રહેલો છે. કેમકે તેના કર્તવ્ય કાળ દરમિયાન હજારો વિદ્યાર્થીઓના જીવનને તે ધારે તેવો વળાંક આપી શકે છે. આથી શિક્ષક કોઈ ધંધાદારી વ્યક્તિ નથી, પણ તે તો રાષ્ટ્રનો નિર્માતા છે.
Dedication એટલે કે સમર્પણ.
પોતાના કર્તવ્ય પ્રત્યેનું સમર્પણ જો આ સમર્પણ ભાવના હશે તો જ કર્તવ્ય નિષ્ઠા આવશે અને તો જ શિક્ષકને પોતાના મહાન કાર્યોની પ્રતીતિ થશે. ચાણક્ય એક સામાન્ય શિક્ષક જ હતા એમણે એક સૂત્ર આપ્યું છે શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઔર વિકાસ ઉસકી ગોદ મે પલતે હૈ. શિક્ષક ધારે તે કરી શકે છે. માત્ર જરૂર છે નિષ્ઠાની, સમર્પિત ભાવનાની,વિદ્યાર્થીઓ પ્રત્યે ના પ્રેમ ભાવનાની.
Devotion એટલે ભક્તિ.
ભક્તિ એટલે પોતાના કર્તવ્ય પ્રત્યેનો લગાવ. પોતાના વિદ્યાર્થી ઓ પ્રત્યેનો પ્રેમ જેમ પ્રભુની ભક્તિ કરવામાં સમય આવી જતા પ્રભુ પ્રત્યે જાગૃત થાય છે એમ ભણાવતા ભણાવતા શિક્ષક પણ પોતાના વિદ્યાર્થીઓ સાથે એકરૂપ બની જાય તો શિક્ષકમાં રહેલું જ્ઞાન વિદ્યાર્થીઓના ચિત્તમાં આપોઆપ સંક્રમિત થાય છે શિક્ષકને ભણાવવામાં અને વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ આનંદ આવે છે શિક્ષકો પોતાની સામે બેઠેલા વિદ્યાર્થીઓને માત્ર વિદ્યાર્થીઓ તરીકે જોવાના નથી. શિક્ષકોએ પણ પોતાની અંદર રહેલી ઉત્તમ શક્તિને વર્ગમાં પ્રગટ કરવી જોઈએ. આ રીતે જ શિક્ષણ કાર્ય કરે તો પ્રત્યેક શાળાએ મંદિર બની જાય પ્રત્યેક શિક્ષકો પૂજારી બની જાય અને પ્રત્યેક વિદ્યાર્થીઓ દેવી-દેવતાઓ બની જાય.
-ચેતનાબેન પટેલ
“Be a dreamer”
સ્વપ્નવેત્તા બનો અને ઊંચા લક્ષ્યાંકો રાખો. અંગ્રેજીમાં કહેવત છે કે, Not failure but low aim is a crime.
નિષ્ફળ જવું એ ગર્વની બાબત છે કારણ કે તમે પ્રયત્નશીલ છો. સ્વપ્નોને સાકાર કરવા માટે નિષ્ફળ થવું એ પહેલી શરત છે. તેને સકારાત્મક લઇ સફળતાની કેડીએ આગળ ધપવું એ જ યૌવનનો તરવરાટ અને થનગનાટ. સ્વપ્ન હશે તો દિશા હશે અને દિશા હશે તો લક્ષ્ય.
ચાલો સતત નવસર્જન, નવા સ્વપ્નો, દિશા અને જ્ઞાનના પરિમાણોનું વિચાર વલોણું ફેરવતા રહીએ. Discipline, Attitude, Aptitude, Etiquette માં અડીખમ અને અગ્રિમ રહેવાના પ્રયત્નો કરીએ.
योग: कर्मषु कौशलम् । આ શબ્દોને ગંભીરતાથી સમજીને જીવનશૈલીમાં વણીને જીવીએ અંતે સમાજના યુવામિત્રોને આટલું જ કહું કે,
Small things make perfection, but perfection is not a small thing.
– હેમાલીબેન શાહ
February 11, 2022
Online Education
Online Education is a flexible instructional delivery system that encompasses any kind of learning that takes place via “Internet”. Online education allows for learning something beyond the norm. Online programs allow people of a wide age group to team at their own pace, without inhabitations and without compromising on their other responsibilities.
“The online option was need in this pandemic situation. It has brought education to us without us going anywhere, and it is more flexible.” Probably students are finding it a welcome change from strict schedules and long distance commutes to attend class. Many teacher are making the best of this situation by exploring new methods of teaching and assessment.
This is encouraging. But the moment online education moves from an optional to the only form of learning and that long term becomes the evident. India is beginning to get a taste of this now.
– Prarthana Modi
February 8, 2022
“Parents & Teachers’ Relations During Online Classes”
Today I feel proud to share my views on a very current point – Parents & Teachers’ Relations during online classes. In the age of Digitalization each and every aspect of life is switched over to online format – Online trading, online shopping, online transactions and now online education.
During online education, as a teacher, I feel that the role of teachers is very important. How to be present on screen, how to express your topics, how to teach using many techniques without a board, how to control students but we as teachers could successfully tackle all the problems and satisfy the students’ thirst of education with the great support of parents. Parents have also played a vital role in our toughest situation. Our trusted parents have spare extra time for exam supervision and also keep a strict watch on their wards during classes.
In this pandemic situation a triangle of student – teacher and parents has really created the best educational atmosphere for the students. At last I would like to show my gratitude towards parents for their wholehearted support in our mission….
Thanks a lot….
-MAMTA ANAJWALA
October 1, 2019
બાળકોની મનોદશાનું પૃથક્કરણ
બાળકોની માનસિક જરૂરિયાત શિક્ષકોએ તેમજ વડીલોએ નાનપણમાં સંતોષવી જોઈએ. જો તે સંતોષી શકાય નહિ તો તેનામાં વિકૃતિ અથવા માનસિક રોગો લાગુ પડી શકે. વડીલો એ બાળકની માનસિક જરૂરિયાતની અગત્યતા સમજવી જોઈએ.
બાળકની મુખ્ય જરૂરિયાત પ્રેમ, મૈત્રી, સાહસ, પ્રોત્સાહન, સલામતી છે. બાળકને પ્રેમથી કોઈપણ કાર્ય સમજાવાય તો તે ઉત્સાહથી કરે છે. અતિશય પ્રેમ આપવો પણ નકામો છે. કેટલીક વખત તે સમાજ વિરોધી કાર્ય જેવા કે ચોરી કરવી, જૂઠું બોલવું એવી ભૂલો કરે છે. બાળકને જ્યારે નવું નવું જાણવાનું અને જોવાનું કુતૂહલ થાય ત્યારે તે વડીલોનો અને શિક્ષકોનો સહારો લે છે. જો તેમના તરફથી મૈત્રીરૂપ સાઠ સહકાર મળી જાય તો તેનામાં રહેલું એકલતાપણું દૂર થાય છે. જેથી બાળકમાં શરમાળપણું, સ્વાર્થવૃત્તિ દૂર થાય, વિચાર શક્તિ વધે, મૈત્રીની ભાવના ખીલે અને ચારિત્ર્ય ઘડતર થાય.
આમ બાળકને પ્રેમ અને મૈત્રી તેના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.
– સોનલબેન પટેલ.
Parents
“Education is a key to success.”
“Education is a key to success.” It plays an important role in providing us with knowledge. It helps us to interpret things rightly and apply it in real life. It doesn’t mean that education is only limited to lessons but education can also be obtained from lessons taught by life. Only with education, a person can gain knowledge. Apart from that we can build good manners through education. It helps to build a person’s characters as it teaches us right behavior. It is also important in developing a person’s character which can make a person to be more civilized and matured. In short, a good education can make a person to be more human. It build confidence to make decisions to face life and to accept success and failures.
– Education is self empowerment.
– Educating the mind without educating the heart is no education at all.
– Avyan Patel (Parents)