Blog

Students

November 25, 2021

” સોશિયલ મીડિયાનો વધતો પ્રયોગ સમાજ માટે ઉપકારક કે અપકારક “

સર્વે ભવન્તુ સુખિન:, સર્વે સન્તુ નિરામયા,
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત્.

અર્થાત બધા જ સુખી, થાઓ બધા જ રોગમુક્ત રહે બધાનું જીવન મંગળમય બને અને કોઈ દુઃખનું ભાગીદાર ન થાય.
આ સંસ્કાર અને જ્ઞાન આપનાર શાસ્ત્ર જે આપણીસંસ્કૃતિની ધરોહર છે તેની સામે શું આજનું સોશિયલ મીડિયા ઉપકારક હોય શકે ? સમાજ માટે તેનો વધતો વ્યાપ વધતો પ્રયોગ શું ફાયદાકારક હોય ?

જો આ જવાબ પૂછવામાં આવે ને તો મારું અંગત અને સાંસ્કૃતિક જ્ઞાન આધારિત મંતવ્ય દ્રઢપણે છે. ના, આજના સાંપ્રત સમયમાં સોશિયલ મીડિયાનો વધતો જતો પ્રયોગ ઉપકારક નહિ પણ અપકારક બનશે અને ભવિષ્યની પ્રજાને નિરાશાની ગર્તામાં ધકેલી માનસિક રોગોના શિકાર બનાવી માનસિક વિકલાંગ બનાવશે.આજના સમયમાં સોશિયલ મીડિયા એ પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયાની સમાંતરમાં સ્થાન મેળવ્યું છે. સોશિયલ મીડિયાનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો હોત તો એક સારું પગથિયું બની રહેત પરંતુ હાલમાં ચાલતા સોશિયલ મીડિયાનાં ઉપયોગથી જોતા એ સમાજ માટે પગથિયાં રૂપ સીડી નહિ પરંતુ ખીણ સાબિત થશે એમ લાગે છે.

દવે આશુતોષ અક્ષયભાઈ
ધોરણ:- ૧૧ કોમર્સ-એ

Teachers

February 11, 2022

સંબંધોમાં પુલ બાંધો, દીવાલ નહીં

આજનો યુગ ટેક્નોલોજી, ઝડપ અને સ્પર્ધાનો છે. મોબાઈલ, ઈન્ટરનેટ, સોશિયલ મીડિયા – એ બધું બાળકોની દુનિયાનો ભાગ બની ગયું છે.
પરંતુ એ સાથે વાલીઓ અને શિક્ષકો માટે એક મોટો પ્રશ્ન ઉભો થયો છે —
“આજની પેઢીને સમજવી એટલી મુશ્કેલ કેમ લાગે છે?”

બદલાતી દુનિયા, બદલાતી વિચારધારા.
અમે જે દુનિયામાં ઉછર્યા, તે દુનિયા અને આજના બાળકોની દુનિયા સંપૂર્ણપણે જુદી છે.
એ બાળકો માહિતીના યુગમાં જન્મ્યા છે — જ્યાં બધું એક ક્લિક દૂર છે.
તેથી તેમની વિચારધારા, પ્રશ્નો, અને ઉત્સુકતા પણ અલગ છે.
વાલીઓએ તેમને રોકવાને બદલે સમજવાનો પ્રયાસ કરવો જોઈએ.

આજની પેઢી ખરાબ નથી — ફક્ત અલગ રીતે વિચારે છે.
તેમને પ્રેમ, સ્વતંત્રતા અને માર્ગદર્શન — ત્રણેયની જરૂર છે.
જ્યારે વાલી, શિક્ષક અને બાળક વચ્ચે વિશ્વાસનો પુલ બને છે,
ત્યારે શિક્ષણ માત્ર વિષય નથી રહેતું — એ જીવનનું માર્ગદર્શન બની જાય છે.

– ધન્વિન કંચનવાળા

October 1, 2019

બાળકોની મનોદશાનું પૃથક્કરણ

બાળકોની માનસિક જરૂરિયાત શિક્ષકોએ તેમજ વડીલોએ નાનપણમાં સંતોષવી જોઈએ. જો તે સંતોષી શકાય નહિ તો તેનામાં વિકૃતિ અથવા માનસિક રોગો લાગુ પડી શકે. વડીલો એ બાળકની માનસિક જરૂરિયાતની અગત્યતા સમજવી જોઈએ.

બાળકની મુખ્ય જરૂરિયાત પ્રેમ, મૈત્રી, સાહસ, પ્રોત્સાહન, સલામતી છે. બાળકને પ્રેમથી કોઈપણ કાર્ય સમજાવાય તો તે ઉત્સાહથી કરે છે. અતિશય પ્રેમ આપવો પણ નકામો છે. કેટલીક વખત તે સમાજ વિરોધી કાર્ય જેવા કે ચોરી કરવી, જૂઠું બોલવું એવી ભૂલો કરે છે. બાળકને જ્યારે નવું નવું જાણવાનું અને જોવાનું કુતૂહલ થાય ત્યારે તે વડીલોનો અને શિક્ષકોનો સહારો લે છે. જો તેમના તરફથી મૈત્રીરૂપ સાઠ સહકાર મળી જાય તો તેનામાં રહેલું એકલતાપણું દૂર થાય છે. જેથી બાળકમાં શરમાળપણું, સ્વાર્થવૃત્તિ દૂર થાય, વિચાર શક્તિ વધે, મૈત્રીની ભાવના ખીલે અને ચારિત્ર્ય ઘડતર થાય.

આમ બાળકને પ્રેમ અને મૈત્રી તેના ચારિત્ર્ય ઘડતરમાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.

– સોનલબેન પટેલ.